Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખંભાળીયાના ૬ સહિત દ્વારકા જિલ્લામાં વધુ આઠ કોરોના કેસો

જિલ્લામાં હાલ એકટીવ કેસોની સંખ્યા પ૪ થઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૮ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના છ સહિત ગઇકાલે વધુ આઠ કેસો પોઝીટીવ કોરોના નીકળ્યા છે તથા ખંભાળીયામાં છ તથા ભાણવડમાં બે નોંધાયા છે. જયારે ફરી એક વખત ડીસ્ચાર્જનું પ્રમાણ ઘટના ખંભાળીયામાં બે તથા ભાણવડમાં એક મળીને ત્રણ ડીસ્ચાર્જ થયા હતાં.

દશ દિવસમાં બારથી પંદર મૃૃત્યુ  છતા મૃત્યુ આંક યથાવત ! જાદુઇ આંકડો !!ૃ

દેવભૂમિ દ્વારા જિલ્લામાં કોરોનાથી થતા મૃત્યુનો જાણે જાદુઇ આંકડો હોય તેમ ૧૦ દિવસની કોવિદ ૮ અને બીનકોવિદ ર૭નો  ૩પનો જાદુઇ આંક આવી રહ્યો છે.

ગઇકાલે નવાપરા શેરી નં.૬, ખંભાળીયા, શકિતનગર ખંભાળીયા, વિનાયક સોસાયટી હસદેપુરમાં બે કેસ,  સ્ટેશન રોડ ખંભાળીયા ખરાવાડ ભાણવડ તથા ભાણવડ શહેરમાં એક-એક કેસ નીકળ્યા હતાં.  નવાપરા શે.નં.૬, મુંદ્રા હોસ્પિલ સામે  વાણીયાવાડી, શકિતનગર, વડત્રા વાડીવિસ્તાર, ગુંદમોરા વાડીવિસ્તાર, રાધેકૃષ્ણ સોસાયટી હર્ષદપુર સહિત સાત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં.

(1:01 pm IST)