Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા યોજાનાર ભાગવત સપ્તાહના પ્રોજેકટ ચેરમેનોની વરણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૮ : આગામી તા. ૬ નવેમ્બરથી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા વિખ્યાત કથાકાર ડો. મહાદેવ પ્રસા મહેતાના વ્યાસાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુ બિરાજશે. આ કથામાં ઉપસ્થિત રહેવા સંતોને આમંત્રણ આપવા માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, પ્રમુખ આશિષ ઉપાધ્યાય ઉપપ્રમુખ કમલેશ ભરાડ, પરાગભાઇ તથા તુષાર મહેતા સહિતની ટીમે પુ.મુકતાનંદબાપુને ભાગવત સપ્તાહ અને ધર્મસભામાં પધારવા આમંત્રણ આપ્યુ હતુ અને પુ.બાપુએ પણ આ સપ્તાહમાં ઉપસ્થિત રહેવા માટે રાજીઓ વ્યકત કર્યો હતો અને તમામ પ્રકારના સહયોગ આપવા જણાવ્યુ હતુ. ચાંપરડા ખાતે પુ.મુકતાનંદબાપુની મુલાકાત લઇ આ ટીમે સતાધાર આપાગીગાની જગ્યાના મહંત પુ. વિજયબાપુની મુલાકાત લઇ તેઓને પણ ભાગવત સપ્તાહમાં પધારવા નિમંત્રણ પાઠવ્યુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર :મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(1:39 pm IST)