Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ખેડૂત ખાતેદારોને ખાતા જુદા પાડવા ભરવી પડતી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરવામાથી રાજય સરકાર દ્વારા મુક્‍તિ, ખેડૂતોને ફાયદો

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડની ખેડૂત હિતની રજુઆતને સફળતા : થોડા સમયમાં ખેડૂતલક્ષી ૩ મહત્‍વના પ્રશ્‍નોનો ઉકેલ

વડિયા, તા.૨૮: ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ હોવાથી દેશના મોટાભાગના લોકો ખેતી સાથે સીધી રીતે સંકળાયેલ છે અને ખેતીની જમીન પણ ધરાવે છે. ત્‍યારે જમીન માલિકના વારસદારના પુત્ર કે પુત્રી જે સીધી લીટીના વરસદાર હોય તેને અવસાન થતા જમીન વહેંચણીમાં સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની મોટી રકમ ભરવી પડતી હતી. અને ખેડૂતોને ખુબ મોટુ આર્થિક નુકશાન થતુ હતુ. આ બાબતે ખેડૂતો દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને સતત લોકોવચ્‍ચે રહેતા ખેડૂત નેતા બાવકુભાઈ ઊંધાડને તેમના રોજિંદા ગ્રામીણ પ્રવાસ માં સામે આવી હતી.

જેથી બાવકુભાઈ ઊંધાડ દ્વારા રાજયના મુખ્‍યમંત્રી, મહેસુલ મંત્રીને લેખિત અને મૌખિક રજુવાત કરતા રાજય સરકાર દ્વારા યોગ્‍ય રજુઆતના આધારે તેને ધ્‍યાને લઈને પરિપત્ર બહાર પાડીને કોઈ સીધી લીટીના વારસદારના પુત્ર કે પુત્રીનું મૃત્‍યુ થાય ત્‍યારે હવે જમીન વહેચણી માટે ફક્‍ત ૩૦૦ના સ્‍ટેમ્‍પ પર એકરાર નામું કરીને તે વહેંચણી કરી આપવામાં આવશે. એટલે કે હવે કોઈ ખેડૂત ખાતેદારના વારસદારના મૃત્‍યુના કિસ્‍સામાં તેના ભાગની જમીનની વહેંચણી સમયે હવે સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની મોટી રકમ ભરવાના બદલે ફક્‍ત રૂપિયા ૩૦૦ના સ્‍ટેમ્‍પ પર કરેલ એકરારનામાથી વહેંચણીનો આ પ્રશ્ર્ન પૂર્ણ કરી શકશે.

ત્‍યારે ખેડૂત હિતમાં મહત્‍વનો આર્થિક રાહત આપતો નિર્ણય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડની રજુઆતથી લેતા ખેડૂતોનો મહત્‍વનો પ્રશ્ન પૂર્ણ થતા ખેડૂતો નેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડનો આભાર માની હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. એક જ મહિનામાં પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા રાજય સરકારને ખેડૂતલક્ષી ત્રણ મહત્‍વના પ્રશ્નોનો ઉકેલ લાવતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડને ખેડૂતોના મસીહા તરીકેનુ બિરુદ આપવા જોવા મળ્‍યા છે.

(10:39 am IST)