Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ભાવનગરમાં ૩૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૭૮૬ કેસો પૈકી ૩૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૩૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૭૮૬ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં દડવા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે ૨, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે તેમજ ભાવનગર શહેર ખાતે રહેતા એક દર્દીનુ આજરોજ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૫ અને તાલુકાઓમાં ૪ કેસ મળી કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૭૮૬ કેસ પૈકી હાલ ૩૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:04 pm IST)