Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

જામજોધપુર નજીક આવેલ ધુનડા સતપુરણધામ આશ્રમ દર્શનાર્થીઓ માટે અનિશ્ચિત મુદત સુધી બંધ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જામજોધપુર નજીક આવેલ ધુનડાનું સતપુરણધામ આશ્રમ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્‍યારે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ આશ્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પૂ. જેન્‍તીરામબાપાએ જણાવ્‍યું હતું કે કોરોના મહામારીના જામનગર અને હાલાર પંથકમાં કેસો ઝડપભેર વધી રહ્યા છે અને તાજેતરમાં ધુનડા નજીક આવેલી મોટી ગોપ ગામે એક સાથે આ નાના એવા ગામમાં ૧૧ કોરોના પોઝીટીવ કેસ આવતા મોટી ગોપના માજી સરપંચ માધવજીભાઇ, હિરજીભાઇ જોષી ઉ.૭પ તેમજ ગોવિંદભાઇ જેઠાભાઇ જોષી ઉ.૬પ બબ્‍બે રાજગોર બ્રાહ્મણ આગેવાનોના મૃત્‍યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. ત્‍યારે આ વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇને પૂ. જેન્‍તિરામબાપા દ્વારા આજથી આશ્રમ દર્શનાર્થીઓ માટે અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવા નિર્ણય લીધો છે. તેમજ આવનાર ધાર્મિક પ્રસંગો પણ બંધ રાખેલ છે અને સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સુચના મળ્‍યે આગળના નિર્ણયો લેવામાં આવશે તેમ અંતમાં સૌ ભકતોને જણાવ્‍યું છે.

(5:44 pm IST)