Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કોરોના કાળમાં પણ વરઘોડો કાઢતા જુનાગઢમાં પોલીસ કાર્યવાહી

જુનાગઢ અને કોયલાણાના શખ્સ સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩૦ : હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છતા જુનાગઢના આંબેડકર નગરમાં રહેતો હર્ષદ મગનભાઇ મુછડીયા અને માણાવદરના કોયલાણા ગામનો અનીલ ભીમશીભાઇ કંડોરીયાએ હોળીની રાત્રે જુનાગઢના આંબેડકરનગરમાં વરઘોડાનું મંજુરી વગર આયોજન કરી માણસોને  ભેગા કર્યા હતા.

આ અંગેની જાણ થતા એ ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો.

તપાસ દરમ્યાન વરઘોડામાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ અને લોકો માસ્ક વગર હોવાનું જણાતા પોલીસે વરઘોડાને અટકાવી દીધો હતો.

એએસઆઇ ભનુભાઇએ હર્ષદ મુછડીયા અને અનીલ કંડોરીયા સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવાની સાથે બંનેની અટકાયત કરી હતી.

વિશેષ તપાસ પોલીસ હેડ કોન્સટેબલ બી.કે.ઓડેદરા ચલાવી રહ્યા છે.

(6:23 pm IST)