Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર શ્રદ્ધાળુઓએ દોડીને ડુંગર ઉપર બાવન ગજની ધજા ચડાવી

ચામુંડા માતાજીના ડુંગર ઉપર શ્રદ્ધાળુઓએ પગથિયાં ઉપર દોડી જઇને ચામુંડા માતાજીના મંદિરે મહંત તેમજ પુજારીના હસ્તે બાવન ગજની ધજા ચડાવી હતી. જેમાં ભાવનગરના ચામુંડા માં નામનાં મિત્રમંડળ દ્વારા પૂજન અર્ચના કરી ધજા ચડાવી હતી. જેમાં આ મિત્રમંડળ દ્વારા સતત 41 વર્ષથી માતાજીના‌ ડુંગરે દોડીને ચડાવી રહ્યા છે.

   આ બાવન ગજની ધજા તેમજ ધજા ચડાવ માટે બેથી પાંચ મિનીટમાં જ 665 પગથિયાં દોડીને ચડીને શ્રદ્ધાળુઓ ડુંગર ઉપર પહોંચી જાય છે. ચામુંડા માતાજીના મંદિરે ભાવનગરના શ્રદ્ધાળુઓએ માતાજીના મંદિરે મહંતની હાજરીમાં બાવન ગજની ધજા ચડાવીને ચામુંડા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ ધન્યતા અનુભવી હતી

   
(12:07 am IST)