Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ધોરાજીના ગોકળભાઇ માથુકીયાનું અવસાન થતા ચક્ષુદાન

ધોરાજી : ગોકળભાઇ પોપટભાઇ માથુકીયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્‍પીટલના ચક્ષુદાન સેન્‍ટરના અધિક્ષક ડો. જયેશ વેરોટીયન અને ડો. રાજ બેરા અને મેડીકલ  ટીમનાં દિપક ભાસ્‍કર અને નીતીન સાગઠીયા સહિતનાઓએ પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે રામજીભાઇ માથુકીયા, કાનજીભાઇ માથુકીયા, જમનભાઇ માથુકીયા, વિનુભાઇ માથુકીયા, શૈલેષભાઇ માથુકીયા, દિપકભાઇ માથુકીયા, ભાવેશભાઇ માથુકીયા, સહિતના હાજર રહેલ માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પીટલ ધોરાજીને ર૪૩ મું ચક્ષુદાન મળેલ છે.

(11:38 am IST)