Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબી વૃધ્‍ધાશ્રમમાં કલેકટર-જીલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્‍થિતીમાં મતદાન કરવાના શપથ લેવાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૮: મોરબીનાં વળદ્ધાશ્રમનાં લોકોને મતદાન બાબતે જાગળત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર કે. બી. ઝવેરીની અધ્‍યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

આ પ્રસંગે કલેકટર કે. બી. ઝવેરી જણાવ્‍યું હતું કે, મતદાન એ મહાદાન છે અને મતદાન કરવો તે આપણો અધિકાર છે અને મતદાન અવશ્‍ય કરવું જ જોઈએ તેમજ નાગરિકોને જણાવ્‍યું હતું કે, તમારે કોઈપણ પ્રશ્‍ન કે હક બાબતે રજૂઆત કરવી હોય તો મતદાનની ફરજ પણ અદા કરવી જરૂરી છે. આગામી ૭ મેના રોજ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અને આસપાસના લોકોને પણ ઙ્કેરણા આપવા જણાવ્‍યું હતું. નાગરિકોએ મતદાન અવશ્‍ય કરવું જોઈએ અને જે કોઈ નાગરિકની ઉંમર ૮૫ કે તેથી વધુ છે તેઓ પોતાના સ્‍થળ પર જ મતદાન કરી શકશે તેવી વ્‍યવસ્‍થા અંગે પણ માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

અગ્રણી પી. વી. રાઠોડ દ્વારા મતદાન અંગે જણાવ્‍યું હતું કે,‘લોકશાહીમાં દરેક મતનું મૂલ્‍ય મહત્‍વનું હોય છે. બહુમૂલ્‍ય મતદાનની કિંમત સમજાવી ઉપસ્‍થિતોને બીનચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને અંતમાં સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી વૈશાલીબેન જોષીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ અને કલેકટર કે. બી. ઝવેરી, સ્‍વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતા, મોરબી શહેર મામલતદાર જયવંતસિંહ વાળા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર તથા સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી હતી.

(11:39 am IST)