Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીમાં ‘આખલા યુદ્ધ'થી જીવનું જોખમ, તાત્‍કાલિક પગલાં લેવા પાલિકાને રજૂઆત

આખલાના ત્રાસથી વાહનોને નુકશાન, અકસ્‍માતનો ભય વધ્‍યો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૮   શહેરના હાર્દ સમાન વિસ્‍તારોમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે.

ત્‍યારે શહેરના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્‍સનગર વિસ્‍તારમાં વોર્ડ નં.૧૧ ના સ્‍થાનિકોને અવાર નવાર થતા આખલા યુદ્ધની પરિસ્‍થિતિને કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ સાથે આખલા યુદ્ધથી લોકોના વાહનોને નુકશાન થઇ રહ્યા છે તેમજ રસ્‍તા બંધ થઈ જતાં આ વિસ્‍તારોમાં અકસ્‍માતનો ભય વધી રહ્યાનું જણાવી સામાજિક કાર્યકર અબ્‍દુલ એમ. બુખારી દ્રારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે તાત્‍કાલિક પગલાં લેવા લેખિત અરજી કરી વિનંતી કરવામાં આવી છે.

(11:44 am IST)