Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભાયાવદરના અમૃતલાલ જાવીયાનું અવસાન થતા ચક્ષુદાન

ધોરાજી : ભાયાવદરના અમૃતલાલ જેઠાભાઇ જાવીયાનું અવસાન થતા ઉપલેટાના સેવાભાવી પરાગભાઇ જાવીઆએ ધોરાજી ખાતે ડો. જયેશ વેસેટીયનને ચક્ષુાદન કરવા અંગે જાણ કરાતા ધોરાજીની સરકારી હોસ્‍પીટલના ડો. જયેશ વેસેટીયન અને મેડીકલ ટીમના દિપક ભાસ્‍કર, નીતિન સાગઠીયા, નીતિન ચુડાસમા અને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા સહિતનાઓ એમ્‍બુલન્‍સ મારફત ભાયાવદર ખાતે ચક્ષુદાન સ્‍વીકારેલ આ તકે મહેશભાઇ જાવીયા, અજીતભાઇ જાવીયા, મનીષભાઇ જાવીયા, ગૌતમભાઇ જાવીયા, વિમલભાઇ જાવીયા, કિશોરભાઇ જાવીયા અને મેડીકલ વાળા પરાગભાઇ જાવીયા સહીના હાજર રહેલ આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્રભાઇ બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ જાવીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્‍વ. અમૃતલાલભાઇને શ્રધ્‍ધાં સુમન અર્પણ કરેલ હતા માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પીટલ ધોરાજીને  ર૪ર મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી વિસ્‍તારમાં ચક્ષુદાન કરવા માટે મો. ૯૮૯૮૭ ૦૧૭૭૪ અને ૯૮૯૮૭ ૧પ૭૭પ અને સરકારી હોસ્‍પીટલ ધોરાજી ૦ર૮ર૪ રર૦૧૩૯ પર કોન્‍ટેક કરવો.

(11:51 am IST)