Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબી બાર એસો દ્વારા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજનો વિદાય સમારોહ યોજાયો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)  મોરબી તા.ર૮ : મોરબી ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી પી સી જોશી સાહેબની પોરબંદર બદલી થઇ હોય જેથી મોરબી વકીલ મંડળના ઙ્કમુખ દિલીપભાઈ અગેચણીયા અને તમામ હોદેદારો દ્વારા વકીલ મંડળના રૂમમાં વિદાય પાર્ટીનું ભવ્‍ય આયોજન કરાયું હતું જેમાં મોરબી વકીલ મંડળ ઙ્કમુખ દિલીપ અગેચણીયા, ઉપપ્રમુખ ટી બી દોશી, સેક્રેટરી વી વી શેરશીયા, જોઈન્‍ટ સેક્રેટરી યુ આર જાડેજા અને કારોબારી સભ્‍યો એસ આર પટેલ, કે ડી પરમાર, બી એન ઝાલા અને મોરબી બારના સીનીયર એડવોકેટ દ્વારા શ્રીફળ અને મોમેન્‍ટો આપી વિદાય આપવામાં આવી હતી

આ પ્રસંગે મોરબી જીલ્લાના તમામ જજ સાહેબશ્રી, મોરબી બારના તમામ વકીલો, સરકારી વકીલો, સીનીયર એડવોકેટ સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

(11:52 am IST)