Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કાલાવાડ પંથકમાં ભેખડ માથે પડતા યુવાનનું મોત

જામનગર, તા.૨૮: કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે ગીરવતસિંહ માલુભા જાડેજાની વાડીમાં રહેતા પરતારામ ત્રીલોકરામ ભીલ, ઉ.વ.૩૦ વાળા એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, લાલરામ હજારીરામ ભીલ, ઉ.વ.રર  વાળા તથા અન્‍ય સાહેદો પાણીના કુવા ખોદાવાનું કામ કરતો હોય ત્‍યારે અકસ્‍માતે કુવાની માટીની ભેખડ પડતાને માથામા તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

નશીલો પદાર્થ પીધેલ યુવાનનું મોત

લાલપુર તાલુકાના સેતાલુશ ગામે રહેતા રાજેન્‍દ્ર જેઠુભાઈ કોરવા, ઉ.વ.૪૩ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે સુખલાલ શ્રીરામ પાંન્‍ડો, ઉ.વ.૩૦ વાળા સેતાલુશ નદીના કાંઠે કોઈ નશીલા પદાર્થ પી જતા સારવારમાં મૃત્‍યુ પામેલ છે.

(11:56 am IST)