Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પોરબંદરમાં પીજીવસીએલના કર્મચારીનેઢીકાપાટુથી માર મારીને ફરજમાં રૂકાવટ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૮ : બોખીરા આવાસ યોજનાના મકાનમાં ચડત વીજબીલ નહી ભરનારનું વીજ જોડાણ કાપવા આવેલ પીજીવીસીએલના કર્મચારી નરશીભાઇ મુંજાભાઇ રાઠોડ રે. રાણાવાવ ર શખ્‍સોએ ઢીકાપાટુથી માર મારીને ગણવેશ ફાડીને તથા તલવાર બતાવી મારી નાખવાની ધમકી આપીને વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બોખીરા આવાસ યોજનાના મકાનમાં વીજબીલની બાકી રકમ ઉઘરાવવા તથા ચડત વીજબીલ હોય વીજ જોડાણ કાપી  નાખવાની કામગીરી કરવા આવેલ પીજીવીસીએલના નરશીભાઇ  મુંજાભાઇ રાઠોડ રે. રાણાવાવને ઢીકાપાટુનો માર મારીને નરશીભાઇનો  ગણવેશ ફાડીને તલવાર બતાવી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરીયાદ આરોપીઓ મનીષ રવજીભાઇ ઝાલા અને મયુર રવજીભાઇ ઝાલા રે. બંન્‍ને બોખીરાવાળા સામે કરતા પોલીસે બંન્‍ને ભાઇઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટિેશનના એ.એસ.આઇ.  વી.એસ.આગઠ ચલાવી રહયા છે.

(12:57 pm IST)