Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમરેલી જીલ્લામાં ૩ અપમૃત્‍યુ

(અરવીંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૮: અમરેલી જીલ્લામાં જુદા જુદા કમોતના પાંચ બનાવો નોંધાયા છે. જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા(ઉ.વ.૩૧) રહે.ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્‍થિતી સારી નહીં હોવાથી પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજ્‍યાનું માતા જશોદાબેન દિનેશભાઇ બારૈયાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સાવરકુંડલા મહુવા રોડ રેલ્‍વે ટ્રેક કિ.મી.૬૨/૦ થી ૬૧/૯ વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પર ખાંભા તાલુકાના ભાણીયા ગામના લાલજીભાઇ હસુભાઇ મકવાણા નામનો ૨૦ વર્ષનો યુવાન વતનમાં કામધંધો નહીં મળતા સુરત હીરા ઘસવાનું કામ કરતો હોય. થોડા સમયથી હીરા ઘસવાનું કામ ઓછુ મળતા તેમજ પિતા મજુરી કામ કરતા ગુજરાન ચલાવતા હોય. આર્થિક સંક્રામણના કારણે ચિંતીત રહેતા હોય અને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ટ્રેન હેઠળ પડતુ મુકતા કપાઇ જવાથી મૃત્‍યું નિપજ્‍યાનું હસુભાઇ બચુભાઇ મકવાણાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જયારે સાવરકુંડલાના ત્રીજા બનાવમાં બગડાવાસમાં રહેતા દિલીપભાઇ ગાગંજીભાઇ બગડા(ઉ.વ.૪૦) એ ઝેરી દવા પી જતાં મોત નિપજ્‍યાનું પ્રકાશભાઇ ગાંગજીભાઇ બગડાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:01 pm IST)