Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પરષોત્તમ રૂપાલાના નિવેદનથી મોરબીમાં રાજપૂત સમાજ ખફા, ટીકીટ રદ કરવા માંગ કરી

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા વડાપ્રધાનને પત્ર લખી માંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૮: રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોતમ રૂપાલા દ્વારા રાજપુત સમાજ અંગે કરેલી ટીપ્‍પણીના ઘેરા પ્રત્‍યાઘાત જોવા મળી રહયા છે અને રાજપૂત સમાજે મોરચો માંડ્‍યો છે પરષોતમભાઇ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્‍યો છે.

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મહામંત્રી, મોરબી કનકસિંહ જાડેજાએ વડાપ્રધાનને પત્ર લખી જણાવ્‍યું છે કે એક જ્ઞાતિ સંમેલનમાં લોકસભા ચુંટણી અનુસંધાને સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી રહી ચૂકેલ પરષોતમભાઇ રૂપાલાએ રાષ્‍ટ્રના ગૌરવવંતાં ક્ષત્રીય સમાજ વિશે અશોભનીય અને ટીપ્‍પણી કરી છે જેનાથી સંગઠનોમાં તીવ્ર રોષ અને ન કલ્‍પી સકાય તેવો ગુસ્‍સો અને સહન ન થઇ સકે તેવી રોષસભર જ્‍વાલા પ્રવર્તે છે રાષ્‍ટ્રની સુરક્ષા, સલામતી અને અસ્‍મિતાના જાગળત ઙ્કહરી સમાન ક્ષત્રીય સમાજે લાખો બલિદાન આપી શહીદી આપી દેશની ધરોહરને વખતો વખત ચિરંજીવ રાખેલ છે. જેથી સમગ્ર રાજપૂત સમાજ અને સંગઠનોની સ્‍પષ્ટ લેખિત માંગણી છે કે પરષોતમભાઇ રૂપાલાને ફક્‍ત રાજકોટ બેઠક જ નહિ પરંતુ સમગ્ર રાષ્‍ટ્રમાં એકપણ સ્‍થળેથી ચૂંટણી લડવા માટે ટીકીટ ના આપે અને આપેલ ટીકીટની ફાળવણી રદ કરી રાજપૂત સમાજની તીવ્ર આક્રોશ સંવેદના અને લાગણીઓને વાચા આપી યોગ્‍ય કરવા માંગ કરી છે સમાજની લાગણીને ધ્‍યાને લઈને રજૂઆતને પ્રાધાન્‍ય આપી ત્‍વરિત યોગ્‍ય પગલે લેવા માંગ કરી છે.

(1:02 pm IST)