Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૮૭ કેસ, ૬૦ દર્દીઓ સ્વસ્થ જયારે ૦૫ના મૃત્યુ: કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૧૪ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આજે મોરબી જીલ્લામાં નવા ૮૭ કેસ નોંધાયા છે અને પાંચ દર્દીના સરકારી ચોપડે મૃત્યુ દર્શાવ્યા છે જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૧૪ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૫ કેસો જેમાં ૨૬ ગ્રામ્ય અને ૧૯ શહેરી વિસ્તારમાં અને ૦૨ મૃત્યુ, વાંકાનેર તાલુકાના ૦૨ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૮ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં જયારે ૦૧ મૃત્યુ, ટંકારા તાલુકાના ૧૪ કેસો ગ્રામ્ય પંથકમાં અને ૦૨ મૃત્યુ તેમજ માળિયા તાલુકાના ૦૮ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૮૭ કેસ નોંધાયા છે જીલ્લામાં ૬૦ દર્દીઓ સ્વસ્થ થયા છે તો ત્રણ તાલુકામાં ૦૫ દર્દીના મૃત્યુ થયા છે
નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૭૨૯ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૪ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

(11:05 pm IST)