Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કોરોનાની રસી માટે જાગૃતિ આવી ત્યાં ભાવનગરમાં રસીના ડોઝ ન મળતા દેકારો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.ર૯ : કોરોનાની રસીને લઇ હવે લોકો જાગૃત બની રહ્યા છેભાવગરમાં રોજીંદા ૬૦૦૦ વ્યકિતયોને રસી આપવાનો ટાર્ગેટ હોય છે એટલે ૬૦૦૦ કે તેથી વધુ વેકસીનની જરૂરિયાત રહેવાથી પરંતુ ભાવનગરમાં શનિવારે ૪૦૦૦, રવિવારે રપ૦૦ઓ સોમવારે ૩૦૦૦ રસીના ડોઝ આવ્યા હતા આમ જરૂરીયાત મુજબ રસી નહિ મળતા રોજ ઘણા લોકો રસી લીધા વિનાના રહી જાય છે હવે વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિમંડળો પણ રસીકરણ કેમ્પનું આયોજન કરી રહી છે ત્યારે રસીનો જથ્થો પુરતો આવે તો રસીકરણ ઝડપી થાય તેમ છે.

(12:29 pm IST)