Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરેન્દ્રનગરમાં ચાર કોરોના દર્દીઓે સ્વસ્થ થતા ઘરે જવા રજા અપાઇ

સુરેન્દ્રનગર,તા.૨૯:સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની યાદીમાંઙ્ગ જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની જોય વિલશનભાઈ પંડયા, સકિનાબેન કાસમભાઈ સુતાર અને  ભૂપતભાઈ રમેશભાઈ વાળા તથા લીંબડી તાલુકાના વતની કિશોરભાઈ નાગરભાઈ  માંડલીયાને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે તેમની સદ્યન સારવાર બાદ આ ચારેય દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૮ ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી હતી.

(10:08 am IST)