Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુત્રાપાડામાં કોરોના વોરિયર્સનું સન્‍માન

પ્રભાસપાટણ : સુત્રાપાડામાં શ્રી માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરવામાં આવેલ તેમજ રામભાઇ ચૌહાણ, માંધાતા ગ્રુપ ગીર સોમનાથના પ્રમુખ અને ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ડીરેકટરના કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવેલ. ડીરેકટર રામભાઇ ચૌહાણે જણાવેલ કે આ કાર્યાલયમાં સમાજના યુવાનોને શૈક્ષણિક માર્ગદર્શન અને ઓનલાઇન એજયુકેશન તેમજ લોન માટે અરજી કરવા માટે મુલકાત લેવા જણાવેલ. અગ્રણીઓમાં જુનાગઢ જીલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા સુત્રાપાડા ચીફ ઓફીસર દેવીબેન ચાવડા, માંધાતા ગ્રુપના પ્રમુખ અને ઠાકોર કોળી નિગમના ડીરેકટર રામભાઇ ચૌહાણ, નગરપાલિકાના પૂર્વપ્રમુખ દિલીપભાઇ બારડ, પીએસઆઇ હેરમા, મામલતદાર અજયભાઇ ઝાપડા, ડો. દાસ, ડો. કરગટીયા, ડો. મનુભાઇ કામળીયા તેમજ ટી.બી. વિભાગના સુપરવાઇઝર હિરેનભાઇ , નગરપાલિકાના રાજુભાઇ પંડીયા, ભરતભાઇ કામળીયા, અરજણભાઇ મોરી, રમેશભાઇ વડાંગર સહિતનાનું આ પ્રસંગે સન્‍માન કરેલ હતું. કોળી સમાજના અગ્રણી નથુભાઇ કામળીયા, ભાજપના મહામંત્રી મશરીભાઇ મેર, મેરૂભાઇ મેર, જેસીંગભાઇ કામળીયા, રાણાભાઇ કામળીયા સહિતના આગેવાનોએ હાજરી આપેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર-સોમનાથ માંધાતા ગ્રુપના પ્રમુખ અને ઠાકોર કોળી નિગમના ડીરેકટર રામભાઇ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કોરાના વોરિયર્સનું સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર . (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:31 am IST)