Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સોરઠનાં શિવમંદિરોમાં હર હર મહાદેવ

ઇન્‍દ્રેશ્વર, ભૂતનાથ, જાગનાથ, બિલનાથ સહિતનાં શિવાલયોમાં વિશેષ પૂજન-અર્ચન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : દેવાધિદેવ ભોળાનાથ મહાદેવના પવિત્ર શ્રાવણનો આજથી મંગલારંભ થયો છે. જૂનાગઢમાં ભવનાથ, જયશંકર, ઇન્‍દ્રેશ્વર, ભૂતનાથ, માંગનાથ, જાગનાથ, બિલનાથ સહિતનાં શિવમંદિરોમાં શિવભકતોની દર્શન, જલાભીષેક વગેરે માટે વહેલી સવારથી ભીડ જોવા મળી હતી.

અહિં જવાહર રોડ સ્‍થિત મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિરે ખાતે મૂર્તિ સ્‍વરૂપે બિરાજતા સિધ્‍ધેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં સવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રાવણ માસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.

શ્રાવણ માસ નિમિતે શિવમંદિરોમાં મહિનાની પૂર્ણાહુતી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરાયા છે. 

(10:21 am IST)