Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ખરેડીમાં પશુઓને લમ્‍પી વાયરસની રસી અપાઈ

ખરેડીઃ ગામમાં પશુને લમ્‍પિરોગથી રક્ષણ આપવા માટે રસીકરણનો કાર્યક્રમ રાખેલો હતો. જેમા ૩૦૦ થી વધુ પશુઓને રસી આપવામા આવી હતી. આ સેવાકીય કાર્યમાં ચિરાગ જોશી, ગૌરક્ષક અને અશ્વપ્રેમી ગૌતમસિંહ જાડેજા, બાલીભાઈ ઘાડિયા,રાહુલગીરી ગોસ્‍વામી તથા ખરેડી પશુદવાખાનાના ડો. હસન અને કુલદિપસિંહ ઝાલાએ આ સેવાકીય કાર્યમા સહયોગ આપ્‍યો હતો.

(11:52 am IST)