Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય જાપ-યજ્ઞનો પ્રારંભ :આખો મહિનો ચાલશે

પ્રભાસપાટણઃ શ્રાવણના પ્રથમ દિને શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના હસ્તે ધ્વજાપૂજા અને યજ્ઞશાળા ખાતે આજથી શરૃ થનાર મહામૃત્યુંજય જાપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ. જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા , એકિઝકયુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા સાથે ટેમ્પલ ડી.વાય.એસ.પી એમ.એમ.પરમાર તેમજ તીર્થ પુરોહિતો પણ ઉપસ્થિત રહેલ. ગીર સોમનાથ જીલ્લા પોલિસ દ્વારા મંદિર પરિસરમાં પબ્લિક સહાયતા કેન્દ્ર પણ ઉભુ કરવામાં આવેલ છે. જેની મુલાકાત સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા , એકિઝકયુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડાએ લીધી હતી (અહેવાલ-તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(2:07 pm IST)