Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મોરબીમાં ૩૦ લાખ ભરેલા થેલાની ચોરીનું તરકટ કરાયું'તુઃ બે આંગડીયા કર્મચારીની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૯: ભુજ રાજકોટ રૃટની એસટી બસમાં આવી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીઓનો ૩૦ લાખની રોકડ અને ચાંદી સહીત ૪૦ લાખની મત્ત્ા ભરેલ થેલો રસ્તામાં ચોરી થયાનું જણાવી મોરબી ખાતે પોલીસને જાણ કરી હતી જે બનાવમાં આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ ચોરીનું તરકટ રચ્યાનું ખુલ્યું છે જેથી એલસીબી ટીમે બે આરોપીને દબોચી લીધા છે

ભુજ રાજકોટ રૃટની એસટી બસમાં મહેન્દ્ર પ્રવીણ આંગડીયા પેઢી રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ચીજવસ્તુના ત્રણ થેલા લઈને ભુજથી રાજકોટ આવતા હોય જેમાં એક થેલામાં રૃ ૩૦ લાખ રોકડ અને અન્ય થેલામાં સોના અને ચાંદીના દાગીના કીમત રૃ ૧૦ લાખ મળીને કુલ ૪૦ લાખનો મુદામાલ સાથે હોય જે થેલા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાનું મોરબી જુના બસ સ્ટેન્ડ પહોંચી જાહેર કર્યું હતું જેથી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી ટીમે બનાવ મામલે તપાસ ચલાવી હતી

બનાવ મામલે એલસીબી ટીમને આંગડીયા પેઢીના કર્મચારીઓની સંડોવણી હોવાની માહિતી મળી હતી જેથી યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા બંને ઇસમોએ ભાંગી પડ્યા હતા અને બંને ઇસમોએ મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં અન્ય આરોપી સિદ્ઘરાજસિંહ સરતનજી પરમાર રહે કોસા જી પાટણ વાળાને સામેલ કરી આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ ભુજ રાજકોટ રૃટ વાળી બસમાં બેસી ગયો હતો અને ભચાઉની ટીકીટ લઈને રોકડ અને સોના-ચાંદીના દાગીના પાર્સલ ભરેલો થેલો આપી દેતા થેલા લઈને તે ભચાઉ બસ સ્ટેન્ડ ઉતરી ગયો હતો. જેથી એલસીબી ટીમે આરોપી આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર રહે હાલ રાજકોટ મૂળ ચંદ્રુ માંણા જી પાટણ અને અજીતસિંહ નથાજી પરમાર રહે સબોસણ તા જી પાટણ એમ બે ઇસમોને ઝડપી લીધા છે અને મુદામાલ રીકવર કરાયો છે તો ફરાર આરોપી સિદ્ઘરાજસિંહ સરતનજી પરમાર રહે કોસાગામ પાટણ વાળાને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, તેમજ એલસીબી ટીમના સુરેશચંદ્ર હુંબલ, નીરવભાઈ મકવાણા, નંદલાલ વરમોરા અને ભગીરથસિંહ ઝાલા તેમજ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, ખ્ણ્વ્શ્ મોરબીના કર્મચારીઓની ટીમ જોડાયેલ હતી.

(2:02 pm IST)