Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

માળીયાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા.

પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી

મોરબી : માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાના બનાવની સઘન તપાસ હાથ ધરી હતી.
આ બનાવની માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે રહેતા રણજિતભાઈ મહિપતભાઈ કુંવરિયા (ઉ.વ.32) નામના યુવાનની આજે બપોરના સમયે કેટલાક શખ્સોએ બહેરહમીપૂર્વક હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવની ગહન તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પીએસઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ યુવાનની હત્યા ક્યાં કારણોસર થઈ તેનું ચોક્કસ કારણ હાલના તબબકે જાણવા મળ્યું નથી.પણ હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવની ઊંડી તપાસ કરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

(10:35 pm IST)