Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પાલીતાણામાં સગાઇ થયેલ દેવીપૂજક યુવક-યુવતિનો આપઘાત : ચકચાર

ભાવનગર,તા. ૨૯:  જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી જંબુ દીપ વિસ્‍તાર પાસે આવેલ ખોડીયાર ગાળા વિસ્‍તારમાં રહેતા દેવીપૂજક યુવક-યુવતીએ પોતાના દ્યરે અગમ્‍ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી.
જેમાં અરવિંદભાઈ વિક્રમભાઈ વાઘેલા (ઉ.વ.૧૭) અને યુવતી પાયલબેન મધુભાઈ પરમાર ઉ.વ.૧૭ બંનેએ પોતાના ઘરે અગમ્‍ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું છે .બંને યુવક યુવતીનું સગાઈ પણ થયેલ હતી તેવુ પણ જાણવા મળી રહ્યું છે .અનેᅠ શા માટે આત્‍મહત્‍યા કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી છે ત્‍યારે પાલીતાણા પોલીસને જાણ કરવામાં આવી છે અને પાલીતાણા પોલીસ તેમજ મામલતદાર કચેરીનો સ્‍ટાફ દ્યટનાસ્‍થળ પર પહોંચી કેસ કાગળ ની તજવીજ હાથ ધરી છે. અને બંને યુવક યુવતીની લાશને પીએમ અર્થે માનસિંહજી હોસ્‍પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

(10:50 am IST)