Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોલીસ, તલાટી, ફોરેસ્‍ટ વિભાગમાં ભરતી પરીક્ષા માર્ગદર્શન અંગે હળવદમાં સેમિનાર

હળવદ,તા.૨૯: શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા બહાર પાડેલ પોલીસ,તલાટી,ફોરેસ્‍ટ સહિતના વિભાગમાં ભરતી ને લઇ હાલ વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે ત્‍યારે આ પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવક-યુવતીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન હળવદ ના આંગણે કરવામાં આવ્‍યું છે જેથી રાજય સરકાર દ્વારા બહાર પાડેલી વિવિધ વિભાગની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ સેમિનારમાં ઉપસ્‍થિત રહી હાજર રહેનાર તજજ્ઞો પાસેથી સચોટ માર્ગદર્શન મેળવવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.
બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ સુધી ચાલનારા આ સરકારી ભરતી પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમીનારમાં માર્ગદર્શક તરીકે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ,નિવૃત્ત ફોરેસ્‍ટ અધિકારી આર.એસ આજરા,હળવદ તાલુકા વિકાસ અધિકારી જે.એન પારેખ,હળવદ પોલીસ મથકના ઇન્‍ચાર્જ પીઆઇ એ.એ જાડેજા, નિવૃત આર્મીમેન ડી.એચ લોખીલ સહિતનાઓ હાજરી આપશે. જેનું આયોજન હળવદ બ્રેકિંગ અને મંતવ્‍ય ન્‍યુઝ દ્વારા કરવા માં આવેલ છે.


 

(10:51 am IST)