Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ભાવનગરમાં જુનુ મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઇ જતા મોત

ભાવનગર તા. ર૯ :.. ભાવનગરમાં જુનવાણી મકાન ધરાશયી થતાં એકનું કાટમાળમાં દબાઇ જતાં મોત નિપજયું છે.

બનાવની વિગતો એવી છે કે શહેરમાં પીરછલ્લા વિસ્તારમાં ખારા કુવાના ખાંચામાં ત્રણ માળનાં જુનવાણી મકાનમાં રીનોવેશનનું કામ ચાલતુ હતુ ત્યારે મકાન માલીક કાંતિભાઇ મનસુખલાલ લંગાળીયા ઉ.વ.૪પ રીપેરીંગ કામ જોવા માટે ગયા હતાંઉ આ સમયે અચાનક મકાન ધરાશયી થતાં કાંતીભાઇ મકાનનાં કાટમાળમાં દબાઇ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરી બ્રીગેડનાં સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર કલાકથી જહેમત બાદ કાટમાળ માંથી કાંતીભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.

(12:48 pm IST)