Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોરબંદરના રેલવે પ્રશ્નોની રેલવે બોર્ડની મીટીંગમાં રજૂઆત કરતા રામભાઈ મોકરિયા

પોરબંદર, તા. ૨૯ :. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મુંબઈમાં રેલવે બોર્ડની મીટીંગમાં રેલવે પ્રશ્નોની ચર્ચા કરીને રજૂઆતો કરી હતી.

કોરોનામાં બંધ થયેલી શટલ ટ્રેઈનમાંથી હજુ મોટાભાગની ટ્રેઈનો શરૂ કરાય નથી કેટલીક ટ્રેઈનો ૨ વર્ષથી બંધ છે. આ ઉપરાંત ઓખા-ભાવનગર કોસ્ટલ ટ્રેઈન શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ આ પ્રશ્ને પૂર્વ સાંસદ ગોરધનભાઈ જાવિયાના સમયમાં રજૂઆતો થઈ હતી. આ પ્રશ્ને પુનઃ રજૂઆત કરવામાં આવી હતી. શહેરનો વર્ષો જૂનો ડોકયાર્ડ ટ્રેઈન તેમજ પોરબંદરથી અન્ય લાંબા અંતરની ટ્રેઈનો દોડાવવા રેલવે બોર્ડની મીટીંગમાં રજૂઆતો કરી હતી.

(11:59 am IST)