Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

કચ્છમાં દલિત પરિવારે મંદિરમાં પ્રવેશ કરતા મારા મારવાના મામલે 5 લોકોની અટકાયત

પરિવારના 6 સભ્યો પર ત્રણેક દિવસ પહેલા કથિત રીતે 20 લોકોએ હૂમલો કર્યો હતો

કચ્છમાં એક દલિત પરિવારે મંદિરમાં પ્રવેશ કરતા તેને મારા મારવાનો બનાવ બન્યો છે. આ કેસમાં પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. તો લગભગ 12 થી વધુ લોકોની પોલીસને હજુ પણ તલાશ છે.

ચ્છમાં એક દલિત પરિવારને એટલા માટે ઢોર માર મારવામાં આવ્યો કારણ કે,તેઓ ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પોલીસે આ કેસમાં લગભગ 20 જણા સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

ઘટના છે કચ્છના ગાંધીધામના ભચાઉ તાલુકાના એક ગામની. એક જ પરિવારના 6 સભ્યો પર ત્રણેક દિવસ પહેલા કથિત રીતે તેમના પર 20 લોકોએ હૂમલો કર્યો હતો.ત્યાર બાદ, ગુજરાત પોલીસે શુક્રવાર સાંજ સુધીમાં પાંચ વ્યક્તિઓની અટકાયત કરી હતી. હૂમલામાં ઘાયલ થયેલા વ્યક્તિઓએ એવો દાવો કર્યો હતો કે, મંદિરમાં અન્ય એક સમૂદાય દ્વારા આયોજિત એક સમારોહ દરમિયાન રામ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તેઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, તે પીડિતો દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ કરી રહી છે.

(12:30 am IST)