Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વાંકાનેરઃસરધારકાના નવઘણ વાટુકીયાનું હોળીની રાતે વાહન અકસ્‍માતમાં મોત

બાઇક હંકારી વાડીએથી ઘરે આવતી વખતે ફોરવ્‍હીલરની ઠોકરે ચડતાં બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના સરધારકા ગામના નવઘણ હરજીભાઇ વાટુકીયા (ઉ.વ.૩૦) નામના કોળી યુવાનનું હોળીની રાત્રે વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નવઘણ હોળીની રાતે નવેક વાગ્‍યે બાઇક હંકારી પોતાની વાડીએથી ઘરે આવી રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં ગાંગીયાવદર પાસે કોઇ અજાણી ફોરવ્‍હીલરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી કાગળો વાંકાનેર તાલુકા પોલીસને મોકલ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર નવઘણ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. તેના મોતથી બે માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:19 pm IST)