Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સદ્ગુરૂદેવ પૂ.પારસમુની મ.સા.નો શુક્રવારે ગોંડલ નગર પ્રવેશ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુની મ.સ.ના સુશિષ્ય

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.પારસમુનિ મ.સા. તા.૨ એપ્રિલને શુક્રવારના રોજ ગાદીના ગામ ગોંડલ ખાતે નગર પ્રવેશના ભાવ ધરાવે છે.

શુક્રવારે ઘોઘાવદર સ્થિત નિરંજનભાઇ રાજગુરૂના આનંદ આશ્રમ ખાતેથી સવારે ૭:૩૦ કલાકે પ્રવેશ કરી નાની બજાર સ્થિત દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય ખાતે બિરાજમાન થશે.

સદ્ગુરૂદેવ પૂ. પારસમુની મ.સા.નું ૨૦૨૧નું ચાતુર્માસ ગાદીના ગામ ગોંડલ ખાતે નક્કી થયુ છે. હાલ પૂ.શ્રી અમદાવાદ તરફથી વિહાર કરી બાવળા, ચોટીલા થઇ તા. ૨ના રોજ ગોંડલ ખાતે નગર પ્રવેશ કરનાર છે.

(4:12 pm IST)