Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

નાથદ્વારાથી સોમનાથની બસ મુકવા માંગ

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૩૦ : ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથથી નાથદ્વારાની સુવિધા નવી સ્‍લીપરકોચ બસ સેવા ફાળવી પણ આ બસ રિટર્ન નાથદ્વારાથી કેશોદ સુધી જ આવતી હોય ત્‍યારે વેરાવળ સોમનાથ ના સિનિયર સિટીઝન્‍સ વડીલો બાળકો સાથે મહિલાઓ વ્‍હેલી સવારે કેશોદ બસ સ્‍ટેન્‍ડ પર  હેરાન પરેશાન થાય છે. તો આ બસ સેવા વેરાવળ એસટી ડેપો ને ફાળવી નાથદ્વારા થી સોમનાથ સુધીની થાય તે હેતુથી એસ.ટી તંત્ર ને રજૂઆત કરી પણ આ બાબત અંગે યોગ્‍ય ન થયેલ હોવાથી યાત્રાધામની મળેલ આશીર્વાદ સમાન સુવિધા વેરાવળ એસટી ડેપોમાથી સંચાલન કરી રિટર્ન ડાઇરેક્‍ટ સોમનાથ સુધીની થાય તે હેતુથી એસ.ટી તંત્ર પાસે  માંગ કરી છે

(10:12 am IST)