Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

બગસરા શ્રીમદ ભાગવતની વ્‍યાસપીઠના આશીર્વાદ લેતા દિલીપભાઈ સંઘાણી

બગસરા : સમગ્ર સોની સમાજ દ્વારા પિતળઓના પૂર્ણાર્થે શ્રીમત દ્દેવી ભાગવત મહાપારાયણ અને ૫૧  કુંડી મહાયજ્ઞ ના પાંચમા દિવસે દેશના સહકારી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવેલ વક્‍તા યોગેશભાઈ ગઢવીએ ચારનપીઠેથી શ્રીમદ દ્દેવી ભાગવતના વિવિધ પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરી દીલીપભાઈ સંઘાણીનું સ્‍વાગત સન્‍માન કરેલ. આ વેળા એ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જયંતીભાઈ પાનસુરીયા, બગસરા શરાફી મંડળીના એમ.ડી. નિતેશભાઇ ડોડીયા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા પત્રકાર સમીરભાઈ વિરાણી  ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા,  અશોકભાઈ પંડ્‍યા, અનિલભાઈ વેકરીયા, શિવલાલભાઈ ઠુંમર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા

(10:14 am IST)