Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાવનગરમાં રામજી મંદિરે શિવ મહાપુરાણ યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦ : ભાવનગર માં ‘શ્રી હરદેવલાલ મહિલા સત્‍સંગ મંડળ આયોજીત શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ'નું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગરશહેરનાં જુની ખડપીઠ પાસે જે.કે. રેસ્‍ટોરન્‍ટવાળા ખાંચામાં આવેલા રામજી મંદિર ખાતે આગામી તા.૧થી તા.૯ સુધી શીવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ છે. શાષાી  ભાવિકભાઈ વ્‍યાસનાં શ્રીમુખેથી કથામળત પીરસવામાં આવશે. શ્રી હરદેવલાલ મહિલા સત્‍સંગ મંડળ દ્વારા આયોજીત આ શીવકથામાં તા.૧ ને શનીવારનાં રોજ હાઈકોર્ટ રોડથી પોથી યાત્રા નિકળશે. કથાનો સમય બપોરે ૩:૦૦ થી ૬:૦૦ સુધીનો રાખવામાં આવેલ છે.

શીવ મહાપુરાણ કથા દરમ્‍યાન રૂદ્ર અવતાર, શીવવિવાહ, તુલસીવિવાહ, શિવજીના વિવિધ અવતારોનું કથામળત પીરસવામાં આવશે. શ્રી હરદેવલાલ મહિલા સત્‍સંગ મંડળ દ્વારા વર્ષ દરમ્‍યાન વિવિધ ધાર્મિક પ્રવળતિઓ આ સંકુલમાં કરવામાં આવે છે. સર્વે ભાવિક ભકતોને કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયુ છે.

(2:30 pm IST)