Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

આટકોટ શ્રીમદ્દ દેવીભાગવત કથામાં તુલસી વિવાહની ઉજવણી

આટકોટ : શ્રીમદ દેવીભાગવત કથામાં તુલસી વિવાહ ઉજવણી કરવામાં આવી હતી. રામોદ ગામેથી ૨૫૦ જેટલા જાનૈયાઓ ઠાકોરની જાનમાં જોડાયાં હતાં જાડેરી જાન આવી ડીઝે  ફટાકડા સાથે ફુલો નાં વરસાદ સાથે જાનનું  સામૈયું કરવામાં આવ્‍યું હતું. વધાસીયા પરીવાર દ્વારા ચાલતી ભાગવત સપ્તાહમાં  તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. વ્‍યાસપીઠ પરથી કૌશિકભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કથામાં આવતા દરેક ભક્‍તજનોને  બંને ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.  ગુરુવારનાં રોજ કથા વીરામ લેશે. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:24 am IST)