Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ઝાલાવાડમાં કોરોનાના એક દિ'માં ૪ કેસ નોંધાયા

વઢવાણ,તા. ૩૦ : સુરેન્‍દ્રનગર જીલ્લામાં ધીમીગતિએ વ્‍યાપ વધારતા કોરોનાએ હવે ગતિ પકડી છે. જીલ્લામાં ગઈકાલે એક સાથે ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંકડો દસે પહોંચ્‍યો છે.

ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં-૨, મુળી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં -૧ અને વઢવાણ તાલુકાનાં શહેરી વિસ્‍તારમાંથી -૧ મળીને કુલ-૪ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.

એક દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. ચોટીલા તાલુકામાં-૧, ધ્રાંગધ્રા તાલુકામાં-૪, મુળી તાલુકામાં-૧ અને વઢવાણ તાલુકામાં ૪, એક્‍ટીવ કેસ છે. જીલ્લામાં ગઈકાલે ૪૬૧ આર.ટી.પી.સી.આર. અને ૨૦૦ એન્‍ટીજન મળીને કુલ ૬૬૧ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતાં.

(12:21 pm IST)