Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સુરેન્‍દ્રનગરમાં ડો. પ્રકાશચંદ્રજી સ્‍વામીની નિશ્રામાં સામૂહિક આયંબિલ ઓળીની આરાધના થશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : લીમડા અજરામર  સંપ્રદાયના શાસન પ્રભાવક  ડો. પ્રકાશચંદ્રજી સ્‍વામી આદી ઠાણા ૭ તથા  ઝરણાબાઈ મહાસતીજી તથા આદી ઠાણા ૮ શેષ કાળમાં જો. નગર સ્‍થા. સંઘમાં આયંબિલની ઓળી તથા વર્ષી તપના પારણાં પ્રસંગે પધાર્યા છે. ત્‍યારે સમસ્‍ત સુ. નગર જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે. આયંબિલ ઓળીના આરાધકોને ઓળી કરાવવાનો લાભ કમલેશભાઈ ઝવેરચંદ  મેહતા પરિવારે લીધો છે.

(11:31 am IST)