Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે શ્રી રામનવમી અને શ્રી હરિજયંતીની ઉજવણી સવારથી દર્શનાર્થીઓના ધસારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : જુનાગઢ જવાહર રોડ સ્‍થિત શ્રીસ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આજે શ્રી રામનવમી ઉત્‍સવ અને શ્રી હરિજયોતિ મહોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી ચેરમેન દેવનંદન સ્‍વામીના માર્ગદર્શન હેઠળ મહંત પુ. પ્રેમસ્‍વરૂપદાસજી તથા કોઠારી પી.પી.સ્‍વામી કુજવિહારી સ્‍વામી સહિતના સંતો અને હરિભકતો દ્વારા ભકિતમય માહોલ વચ્‍ચે આ દિવ્‍ય અને ભવ્‍ય પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં સવારે ૧૧-૩૦ થી ૧ર-૩૦ મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુજીનો જન્‍મોત્‍સવ ઉજવવામાં આવેલ.

રાત્રે ૯ થી ૧૦-૩૦ કલાકે પુર્ણ પુરૂષોતમ ઇષ્‍ટદેવ ભગવાનજી સ્‍વામીનારાયણનો ર૪ર મો પ્રાગટયોત્‍સવ શ્રીહરિ જયંતિ મહોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પી.પી.સ્‍વામીએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છ.ે

(1:43 pm IST)