Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલા મામલે તંત્રની વ્યાપક ભૂલો

ખંભાળીયા તા. ૩૦ :.. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલાઓ જે તંત્ર દ્વારા કાઢી દેવાય છે. તેમાં વ્યાપક ભૂલો કરાતા લોકો ભારે પરેશાન થતાં હોય એન. એસ. યુ. આઇ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તાકીદે પગલાની માંગ સાથે દેખાવો કરાયા હતાં.

પિતા-પુત્રનાં નામોમાં ભૂલ, ગામના નામોમાં ભૂલ, દાખલામાં અસ્પષ્ટ લખાણ જેવા મુદે તાલુકા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા અધિકારીઓ લાજવાને બદલે ગાજતા હોય તેમ કામના ભારવાનું બહાનું કાઢી ને છટકવા માંગતા એનએસયુઆઇ દ્વારા ૭ર કલાકનું અલ્ટીમેટમ આપી ને નહીં તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની જાહેરાત કરાઇ છે.

એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ કાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, જયેશ કંડોરીયા, સાગર ગોમીયા, ભાયા ભાદરકા, તુમાર હાથલીયા, સાહિલ ગોસાઇ વિ. જોડાયા હતાં.

(12:36 pm IST)