Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ભાવનગરમાં ઘરેલુ ઝઘડામાં પતિએ પત્‍ની અને જમાઇને છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગર,તા. ૩૧ : બોરતળાવ, મફતનગર, કોર્ટ કોલોની પાછળ રહેતા હરેશભાઈ ઝીણાભાઈ પરમારને ગત રાત્રીના તેના પત્‍ની રીનાબેન સાથે ઝઘડો થતાં તેમણે રીનાબેનને મારઝૂડ કરતા રીનાબેન તેમના છોકરા સાથે બાજુમાં રહેતા તેના કાકાના ઘરે ચાલ્‍યા ગયા હતા.ᅠ

બાદમાં આજે સવારે તેઓ ઘરે પરત આવતા ઉશ્‍કેરાઈ ગયેલા હરેશભાઈ ઝીણાભાઈ પરમારે તમે ઘરમાં આવવાની ના નથી પાડી ? તેમ કહીને છરી વડે હુમલો કરતા રીનાબેનને હાથના ભાગે ઇજા થઈ હતી, દરમિયાન બાજુમાં રહેતા રીનાબેનના દીકરી અને જમાઈ આવી જતા જમાઈ રોહિતભાઈ બંનેને છૂટા પડાવવા માટે વચ્‍ચે પડતા ઉશ્‍કેરાઈ ગયેલા હરેશભાઈએ જમાઈને પણ છરીના બે ધા ઝીંકી દીધા હતા.

આ બનાવમાં ઇજાગ્રસ્‍ત રીનાબેન તથા તેના જમાઈ રોહિતભાઈને સારવાર અર્થે સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવ અંગે રીના બેને તેના પતિ હરેશ ઝીણાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:45 am IST)