Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

જુનાગઢમાં ભગવાનશ્રી રામની પાલખી સાથે શોભાયાત્રા

 

જુનાગઢમાં શ્રી હરિૐ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી રામનવમી નિમિતે ઉપરકોટ ખાતે આવેલ શ્રી રામજી મંદિર ખાતેથી ભગવાની પાલખી યાત્રા અને શોભાયાત્રા ને મોટી હવેલીના પિયુષબાવાની ઉપસ્‍થિતીમાં મંદિરના પુજારી તેમજ મેયર ગીતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, દિપેન્‍દ્રભાઇ યાદવ સહિતનાએ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું બાદમાં આ શોભાયાત્રા વિવિધ ફલોટસ આકર્ષણ સાથે જોડાયા હતા અને આ યાત્રાનું આઝાદ ચોક એમજી રોડ કાળવા ચોક ખાતે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું અને જવાહર રોડ સ્‍વામિનારાયણ ચોક ખાતે આ યાત્રાપુર્ણાહુતી થયેલ અને બાદમાં મયારામદાસજી આશ્રમ ખાતે ધર્મસભા અને આકર્ષક ફલોટસોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા. (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:33 pm IST)