Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ધોરાજી : ખેડૂતોને વળતર ચેક વિતરણ

 ધોરાજી : જેતપુર તાલુકાના દેવકી ગાલોળ અને જેતલસર ગામ ખાતે કિસાનનેતા અને બેન્ક ડિરેકટર લલિતભાઈ રાદડિયાની આગેવાનીમાં પીજીવીસીએલ દ્વારા સૌરઉર્જા વેચાણથી ખેડૂતોને મળતા વળતરના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. આ તકે જિલ્લા ભાજપના મનસુખભાઇ ખાચરિયા, જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા, જિલ્લા પંચાયત સદસ્ય પી. જી. કયાડા, સુરેશભાઈ કયાડા તેમજ પીજીવીસીએલ જેતપુરના સ્ટાફ સાથે બંને ગામના લાભાર્થી ખેડૂતોની વિશેષ ઉપસ્થિતી રહેલ. વળતર ચેક વિતરણની તસ્વીર.

(11:58 am IST)