Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પોરબંદરમાં વૃધ્ધાની હત્યા કરીને કેટલાં દાગીના-રોકડની લૂંટ આરોપીએ કરી તે અંગે પોલીસ દ્વારા તપાસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧: એકલવાયુ જીવન જીવતા વૃધ્ધા હીરીબેન બાબુભાઇ રાણાવાયાની હત્યા સંબંધે ઝડપાયેલ આરોપી રાણાવાવના અરજણ મસરીએ વૃધ્ધા પાસેથી કેટલાં દાગીના અને રોકડની લૂંટ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહેલ છે. હત્યા થયેલ વૃધ્ધા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતાં અને દાગીના અને રોકડ ઘેર રાખતાં હતાં.

એક માસ પહેલા ઝુરા બાગ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધા હીરીબેન બાબુભાઇ રાણાવાયાની શંકાસ્પદ હત્યા થયેલ અને અમે તેના મૃતદેહને પી.એમ. માટે મોકલેલ. પી.એમ. રીપોર્ટમાં તેનું શ્વાસ ગુંગળાઇ જવાને લીધે મૃત્યુ થયાનું બહાર આવતા પોલીસે સીસી ટીવી કેમેરાના ફુટેજ તથા અન્ય તપાસ કરતા આ હત્યા સંબંધે રાણાવાવના અરજણ મસરીનું નામ ખુલતા તેમને પોલીસે પકડીને જેલ હવાલે કરેલ છે. આરોપી અરજણે દેવું થઇ જતા હત્યા કર્યાનું જણાવતા વૃધ્ધા પાસે રહેલા કેટલાં દાગીના અને રોકડની લૂંટ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહેલ છે.

(1:30 pm IST)