Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

'કોડીનાર'ના 'અકિલા'ના પત્રકાર અશોકભાઇ પાઠકની સુપુત્રીના શુભલગ્ન : ચિ.જાનવી* ચિ.નિમિત

રાજકોટ : ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનારના 'અકિલા'ના પત્રકાર શ્રી અશોકભાઇ કાન્તિલાલ પાઠક અને અ.સૌ.આરતીબેન પાઠકના સુપુત્રી ચિ.જાનવીનાં શુભલગ્ન જુનાગઢ નિવાસી ગં.સ્વ.ચંદનબેન જોષી અને સ્વ.ભરતભાઇ મોહનલાલ જોષીનાં સુપુત્ર ચિ.નિમિત સાથે તા.૨૪ને સોમવારે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગમાં તા.૨૩ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે મંડપરોપણ, સવારે શુભ ચોઘડીયે ગૃહશાંતિ, સાંજે ૪ વાગ્યે મામેરા, રાત્રીના ૯ વાગ્યે રાસની રમઝટ બોલશે.

તા.૨૪ને સોમવારે બપોરે ૧૧ વાગ્યે શુભલગ્ન સ્થળ હોટલ રેઇનબો, તાલાળા- સાસણ મેઇન રોડ, સાસણ ગીર ખાતે હસ્તમેળાપ વિધી થશે.

આમિંત્રોને ઉપસ્થિત રહેવા 'અકિલા'ના પત્રકાર અશોકભાઇ કે.પાઠક, ધર્મેશભાઇ એ. પાઠક, કુલદિપભાઇ એચ.પાઠક તથા પાઠક પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે. મો.૯૨૨૮૩ ૬૭૯૦૦, મો.૯૨૨૮૩ ૧૧૦૦૨, મો.૯૯૦૪૦ ૩૨૮૯૬

(9:57 am IST)