Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ટી-૨૦ વર્લ્‍ડકપમાં યોગ્‍ય ટીમની પસંદગી કરજો

શ્રીકાંતની ચેતન શર્માને વિનંતી, કહ્યું જો મારી સલાહની જરૂર પડશે તો હું અને શાષાી માર્ગદર્શન આપીશુ

નવી  દિલ્‍હીઃ કળષ્‍ણમાચારી શ્રીકાંતે તેના ભૂતપૂર્વ ભારતીય સાથી અને વર્તમાન મુખ્‍ય પસંદગીકાર ચેતન શર્માને આ વર્ષના ટી-૨૦ વર્લ્‍ડ કપ માટે યોગ્‍ય ટીમ પસંદ કરવા વિનંતી કરી છે અને કહ્યું કે જો ટીમની પસંદગીને લગતી કોઈ સલાહની જરૂર હોય તો તે ગમે ત્‍યારે તેને ફોન કરી શકે છે.
ટી-૨૦ વર્લ્‍ડ કપને ત્રણ મહિનાથી ઓછા સમય બાકી છે, ભારત હજુ પણ પ્રયોગ કરી રહ્યું છે.  હજુ પણ પસંદગીકારો ઘણા ખેલાડીઓને અજમાવી રહ્યા છે  ટીમ ઈન્‍ડિયાના કેટલાક યુવા ખેલાડીઓએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે જેણે પસંદગીકારો માટે વસ્‍તુઓ વધુ મુશ્‍કેલ બનાવી દીધી છે.
 શ્રીકાંતે કહ્યું, જો તેણે યોગ્‍ય સંયોજન પસંદ કર્યું છે, તો ચેતન શર્મા, જેણે અમારી સાથે ઘણું ક્રિકેટ રમ્‍યું છે.. હે ચેતુ, હવે યોગ્‍ય ટીમ પસંદ કરો. જો તમને સલાહની જરૂર હોય તો મને કૉલ કરો.  રવિ શાષાીને બોલાવો.  અમે બંને તમને સારું માર્ગદર્શન આપીશું.  પસંદગીકારો જે કરી રહ્યા છે તે સારું છે.  પરંતુ તેમને એશિયા કપમાંથી મજબૂત ટીમ પસંદ કરવી પડશે.

 

(6:28 pm IST)