Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રોહીતને ઇજા પહોંચી હોય અને શાસ્ત્રીને તેની ખબર ન હોય એ સંભવ જ નથીઃ વિરૂ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ  ટીમના પુર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે કહયું કે એવુ બની ન શકે કે ઇજાના પગલે રોહીતની ઓસ્ટ્રેલીયા ટુરમાં પસંદગી કરવામાં આવી નથી પણ તે આઇપીએલમાં હૈદ્રાબાદ સામેનો મેચ રમતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સહેવાગે કહયું કે મને એ નથી લાગતુ કે રોહીતને ઇજા પહોંચી હોય અને તેની કોઇ જાણકારી શાસ્ત્રીને ન હોય. શાસ્ત્રી પસંદગી સમીતીમાં ન હોય પરંતુ પસંદગીકારોએ એક-બે  દિવસ પહેલા તેના સુચનો તો સાંભળ્યા જ હશે.

(3:30 pm IST)