Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

RT-PCR ટેસ્ટમાં કોરોના પોઝિટિવ બન્યા કોચ રવિ શાસ્ત્રી : 10 દિવસ માટે કોરોનટાઇન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ RT-PCR ટેસ્ટમાં કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દસ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેશે. આનાથી તે માન્ચેસ્ટરમાં યોજાનારી ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ટીમની બહાર રહેશે. 59 વર્ષીય શાસ્ત્રી રવિવારે ઝડપી એન્ટિજેન ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા હતા. સોમવારે તેમના RT-PCR ટેસ્ટ રિપોર્ટમાં ચેપની પુષ્ટિ થઈ છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી રમાશે.

(5:39 pm IST)