Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ચેન્નાઇમાં ઇંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ માટે આજથી ઓનલાઇન ટીકીટનુ વેચાણ શરુ

50 ટકા પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી: એમએ ચિદંબરમ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ ખુલા મુકાશે

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 13 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટ માટે આજથી ટીકીટનુ વેચાણ શરુ થશે. તામિલનાડુ ક્રિકેટ સંઘના સચિવ આર એસ રામાસ્વામીએ જણાવ્યુ હતુ કે, સામાન્ય દર્શકો માટે માત્ર ઓનલાઇન ટીકીટ વેચાણ શરુ કરનાર છે.

ટીકીટ કાઉન્ટર અને બોક્સ ઓફીસ પર વેચાણ બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારએ બીજી ટેસ્ટ માટે 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી આપી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ દર્શકો વિના જ રમાઇ રહી છે.

આ મેચ સાથે જ ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ આઇ, જે અને કે ને 2012 બાદ પ્રથમવાર કોઇ આંતરરાષ્ટ્રીય મેચને લઇ દર્શકો માટે ખોલવામાં આવી રહ્યુ છે. આ ત્રણેય સ્ટેન્ડને કેટલાક કારણોસર 2011 ના વિશ્વકપ બાદ સીલ કરી દેવામાં આવ્યા હતા. જેના થી ચેન્નાઇને 2016 માં ટી20 વિશ્વકપ અને 2019માં આઇપીએલ ફાઇનલ સહિત જુદી જુદી ટુર્નામેન્ટ અને મેચોના યજમાન બનવા થી દુર રહેવુ પડ્યુ હતુ.

(1:23 pm IST)