Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટમાં રવિ શાસ્ત્રી જોવા મળી શકે છે કોમેન્ટ્રી કરતા

નવી દિલ્હી: સોમવારે UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં નામીબિયા સામે સુપર 12 રાઉન્ડની છેલ્લી મેચ 9 વિકેટથી જીત્યા બાદ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. આ દરમિયાન તેણે ટીમને નવી ઊંચાઈઓ અપાવી અને ઘણી યાદગાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. મુખ્ય કોચના પદ પરથી હટી ગયા બાદ દરેકના મનમાં સવાલ છે કે તેનું ભવિષ્ય શું છે. કેટલાક કહી રહ્યા છે કે તે IPLમાં કોચિંગ કરતો જોવા મળશે તો કેટલાક કહી રહ્યા છે કે તે કોમેન્ટ્રીમાં પરત ફરી શકે છે. દરેકના મનમાં ઊઠેલા આ સવાલનો જવાબ શાસ્ત્રીએ પોતે જ આપ્યો છે.

(5:39 pm IST)